બુધવાર, 4 માર્ચ, 2015

યોગ સત્ર-Feb 15

વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા શાખા દ્વારા તા. 23-02-15 થી 28-02-15 સુધી છ દિવસનું યોગ સત્રનું શ્રી ભગિની મિત્ર મંડળ, સર્વોદય સોસાયટી, પાલિતાણા ખાતે સવારે 6 થી 7-30 સુધી આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 25 ભાઈઓ બહેનોએ ભાગ લિધો હતો. આ સત્ર દરમ્યાન વિવિધ શિથિલીકરણ વ્યાયામ, સુર્ય નમસ્કાર, આસન, પ્રાણાયામ, યોગનિંદ્રા, ષટકર્મો  તજજ્ઞો દ્વારા શિખવવામાં આવેલ અને તેનો અભ્યાસ કરાવવામાં આવેલ. આ સત્ર દરમ્યાન યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે શ્રી મહેશભાઈ ભાદરકા અને એન. જે. દવે દ્વારા સેવા આપવામાં આવેલ તેમજ શ્રી રાકેશભાઈ ગોહીલ, શ્રી ખુશાલભાઈ ગોહીલ અને શ્રી દિપીકાબેન જોષી દ્વારા ડેમોંસ્ટ્રેશન કરવામાં આવેલ. સત્રના અંતિમ દિવસે વિવેકાનંદ કેન્દ્રના પ્રાંત પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા 'યોગ- એકાત્મ જીવન પધ્ધતી' વિષય પર યોગ અભ્યાસીઓને માર્ગદર્શન આપેલ. સત્ર દરમ્યાન સ્વાઈન ફ્લૂ વિરોધી ઊકાળો પણ આપવામાં આવ્યો હતો. યોગ સત્રમાં ભાગ લેનાર દરેક ભાઈઓ બહેનોને 'યોગ- એકાત્મ જીવન પધ્ધતી' અંગે વિશેષ છણાવટ કરતું પુસ્તક, યોગાસન અંગે પ્રાથમિક માહિતી આપતુ પુસ્તક તેમજ નેતીપોટ આપવામાં આવેલ. દરેક યોગાભ્યાસીઓએ જલનેતી ક્રિયા, યોગનિંદ્રા અને પધ્ધતીસરના સૂર્યનમસ્કાર શિખ્યા અંગેનો વિશેષ આનંદ વ્યકત કર્યો હતો અને યોગ તેમના દૈનિક જીવનમાં નિયમીત અભ્યાસનો ભાગ બનશે તેવા સંકલ્પ સાથે યોગસત્ર પુર્ણ થયેલ. 

એક દિવસીય કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિર

વિવેકાનંદ કેન્દ્ર-પાલિતાણા શાખા દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, શેત્રુંજી ડેમ, મુકામે કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ ૪૫ ભાઈઓ-બહેનોએ દિવસ દરમયાન સંગઠન વિષયને અનુરૂપ રમતો, જુથ ચર્ચા, વ્યાખ્યાન, અભિનયના માધ્યમથી સમજવા પ્રયત્ન અને ચિંતન કરેલ. 

 પ્રાંત પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીએ સંગઠન, સંગઠનાત્મક કાર્યની આવશ્યકતા, કાર્યકર્તાના ગુણો વગેરે બિંદુઓ વિશે માર્ગદર્શન આપેલ.